- કલાશિક્ષક સંઘની વેબસાઈટમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય કલાશિક્ષક સંઘ,ગુજરાતના કલા શિક્ષકો દ્વાર ઉભી થયેલી સંસ્થા છે. કલા સંઘની સ્થાપના વર્ષ 1975માં કરવામાં આવેલી છે. અને ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લાઓમાં એના ઘટક કલાશિક્ષકસંઘો સ્થપાયેલા છે. કલાશિક્ષકસંઘ દ્વારા વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ઘાઓ, કલા શિબિરો, સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. કલાશિક્ષકો માટે પણ સેમિનારો,નવા અભ્યાસક્રમ અંગેની શૈક્ષણિક કલા શિબીરો, શૈક્ષણિક અધિવેશનો, સ્કેચિંગ, લેન્ડસ્કેપ ફોટોગ્રાફી માટે આઉટીંગ તેમજ શૈક્ષણિક અભ્યાસ વર્તુળો વગેરેનું આયોજન કરવામાં આવે છે.છેલ્લા 10 વર્ષથી પ્રતિવર્ષ ધોરણ-1 થી 12ના વિદ્યાર્થીઓ માટેની રાજ્યવ્યાપી રંગપુરણી ચિત્ર સ્પર્ધાનું આયોજન કલાસંઘ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજ્યનાં ખુણે-ખુણાનાં ગામડાના વિદ્યાર્થીઓ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. કલાસંઘ દ્વારા આ હરિફાઈમાં ભાગ લેનાર 1000 જેટલા વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવે છે. શ્રેષ્ઠ ચિત્રકૃતિ કરનાર વિદ્યાર્થીઓને “બાળ ચિત્રકલારત્ન એવોર્ડ” આપવામાં આવે છે. ભાગ લેનાર શાળાઓને તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પ્રમાણપત્ર આપવામાં આવે છે.વર્ષ 2009 થી કમિશ્નરશ્રી મધ્યાન ભોજન અને શાળાઓ કચેરી તરફથી ઠરાવ કરીને બાળકોમાં કલાશિક્ષણ પ્રત્યે રૂચિ કેળવાય તે માટે દરેક શાળાઓ ને કલાશિક્ષક સંઘ દ્વારા આયોજિત રંગપુરણી સ્પર્ધામાં ભાગ લેવાનું સુચવવામાં આવેલ છે. દરેક શાળાઓ દ્વારા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રંગપુરણી હરીફાઈમાં ભાગ લે તેવું આયોજન કરવાનું રહે છે.કલા શિક્ષક સંઘ છેલ્લા 10 વર્ષથી નિવૃત કલાશિક્ષકો અને સંનિષ્ઠ કલાશિક્ષકોનું સન્માન કરે છે. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ચિત્રકારોને આમંત્રિત કરે કરી તેમનો લાભ કલાશિક્ષકોને આપાવે છે. કલા સંઘની આ પ્રવૃત્તિથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને કલા શિક્ષકોને ખુબજ પ્રોત્સાહન મળ્યુ છે. ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં કલાક્ષેત્રે કલાસંઘનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે.
પ્રમુખશ્રીપરેશસેવક
- ગુજરાત રાજય કલાશિક્ષક સંઘની સ્થાપના ૧૯૭પ માં થયેલ છે. તેના આદ્યસ્થાપક તરીકે અરવિંદભાઈ વાકાણી સાહેબ છે.
- વર્ષ ર૦૧ર માં ગુજરાત રાજય કલાશિક્ષક સંઘનું ચેરીટી કમિશ્નર કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેથી ગુજરાત રાજય કલાશિક્ષક સંઘ વર્ષ ર૦૧ર થી '' કલાશિક્ષક સંઘ '' ના નામે સૂચિત કરવામાં આવેલ છે.
- કલાશિક્ષક સંઘનું રજીસ્ટ્રેશન થતાં રાજયના તમામ ચિત્રશિક્ષકોએ કલાશિક્ષક સંઘના વાર્ષિક સભ્ય બનવું ફરજીયાત છે.
- જે ચિત્રશિક્ષક વાર્ષિક સભ્ય ફી ભરેલ હશે / ભરશે તે જ કલાશિક્ષક સંઘના સભ્ય ગણાશે.
- કલાશિક્ષક સંઘની સભ્ય ફી ની વિગત
- આ સભ્ય ફી વર્ષ ર૦૧૩ થી લેવામાં આવે છે.
- પ્રથમ વખત સભ્ય બનનારે પ૦ રૂ. રજીસ્ટ્રેશન સભ્ય ફી અને ૧૦૦ રૂ. વાર્ષિક સભ્ય ફી ભરવાની રહે છે. આમ પ્રથમ વખત ૧પ૦ રૂ. ભરવાના રહેંશે.પછીના દર વર્ષે ૧૦૦ રૂ. સભ્ય બનવા ભરવાના રહેંશે.
- કલાશિક્ષક સંઘના જે ચિત્રશિક્ષક સભ્ય હશે તેમને કલાશિક્ષક સંઘના લાભ મળવાપાત્ર થશે.
- પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં તેમજ સેલ્ફ ફાઇનાન્સમા જે ચિત્રશિક્ષકો નોકરી કરતા હશે તે ચિત્રશિક્ષકો કલાશિક્ષક સંઘમાં સભ્ય બની શકશે. અને તેમને કલાશિક્ષક સંઘના લાભ મળવાપાત્ર થશે. (નિયમો કલાશિક્ષક સંઘને આધિન રહેંશે.)
- વર્ષ એપ્રિલ ર૦૧૩ થી માર્ચ ર૦૧૪ માં જે સભ્યો કલાશિક્ષક સંઘના વાર્ષિક સભ્ય બનેલા છે તેની માહિતી સરનામા સાથે મુકવામાં આવેલ છે વર્ષ એપ્રિલ ર૦૧પ થી માર્ચ ર૦૧૬ માં જે સભ્યો કલાશિક્ષક સંઘના વાર્ષિક સભ્ય અને કલાપ્રસારના વાર્ષિક કે આજીવન સભ્ય માર્ચના અંત સુધીમાં બનેલા હશે તેની માહિતી સરનામા સાથે મુકવામાં આવશે. આવી માહિતી જે તે વર્ષના જુલાઇના અંતમાં મુકાશે.ચેક કરતા રહેંવું.
- આ બ્લોગમાં તમામ પરિપત્રો,કલાશિક્ષક સંઘના નીતિ નિયમો, કાર્યક્રમના ફોટોગ્રાફ તેમજ સરકારમાં થયેલ રજૂઆતોને મુકવામાં આવે છે.
- નોંધ : કલાશિક્ષક સંઘની અને કલાપ્રસારની સરનામા યાદીમાં જો આપનું નામ જે તે વર્ષમાં ન હોય અને જો આપની પાસે પાવતી હોય અથવા અન્ય પુરાવા રૂપે જે હોય તે રજુ કરી અને આપની માહિતીની જાણ કરવાથી તેને ધ્યાનમાં લેવામાં આવશે
-- નીચેની બાબત જોવા માટે તેના પર ક્લીક કરવાથી લીંક આવશે તેના પર ક્લીક કરવાથી માહિતી જોઇ શકાશે.
2.કલાશિક્ષક સંઘનો પરિચય
1. કલાશિક્ષક સંઘના હેતુઓ
[2.કલાશિક્ષક સંઘનો પરિચય]
[1. કલાશિક્ષક સંઘના હેતુઓ]